જીવનનો ધબકાર મારી સ્મરણયાત્રા રાજ્ય પારિતોષિક સ્પર્ધા 2018-19

શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા આયોજિત

“જીવનનો ધબકાર-મારી સ્મરણયાત્રા”રાજ્ય પારિતોષિક સ્પર્ધા-2018-19

jivanno-dhabkar--mari-smaranyatra

:: સ્પર્ધાની માહિતી ::

લેખકશ્રી લાભુભાઈ ટી. સોનાણીનું પુસ્તક ‘જીવનનો ધબકાર-મારી સ્મરણયાત્રા’ પર રાજ્યસ્તરની સ્પર્ધા બે-તબક્કામાં યોજાશે .

પ્રથમ તબક્કો:

  • સ્પર્ધકે જણાવ્યા મુજબ પોતે વાંચેલ પ્રેરક પ્રસંગોના આધારે જે તે વિભાગો મુજબ લાગુ પડતા પ્રશ્નોનાં લેખિતમાં વિચારો તા. 31/01/2019 સુધીમાં વ્યક્ત કરવાના રહેશે.

બીજો તબક્કો :

  • પ્રથમ તબક્કામાં પસંદગી પામેલ સ્પર્ધકે અંતિમ પસંદગી માટે પસંદગી સમિતિ સમક્ષ ઉપસ્થિત રહી પૂછવામાં આવે તેવા પ્રશ્નો પર ચર્ચામાં ભાગ લઇ પોતાના વિચારો મોખિક રીતે વ્યક્ત કરવાના રહેશે.

કૅટેગરી :

  • સમગ્ર સ્પર્ધા ત્રણ વિભાગો (અ), (બ) અને (ક) કૅટેગરી પ્રમાણે યોજાશે.
  • સ્પર્ધકની કૅટેગરી તા.31/12/2018 નાં રોજ પૂર્ણ કરેલ ઉમરનાં આધારે વિભાગ અ, બ, ક લાગુ પડશે. જે નીચે મુજબ રહેશે .

વિભાગ-અ  : 11 થી 20 વર્ષ

વિભાગ-બ  : 21 થી 30 વર્ષ

વિભાગ-ક   : 30 વર્ષથી ઉપર

વિજેતા સ્પર્ધકોને પુરસ્કાર :

  • જે-તે વિભાગના અંતિમ તબક્કાના વિજેતા સ્પર્ધકને રોકડ પ્રોત્સાહન, પ્રમાણપત્ર અનેમૉમેન્ટો નીચેમુજબ આપવામાં આવશે.

પ્રથમ નંબર માટે  રૂ. 21,000/-

દ્વિતીય નંબર માટે  રૂ. 15,000/-

તૃતીય નંબર માટે  રૂ. 11,000/-

  • સ્પર્ધકની રજૂઆતનાં આધારે પસંદગી સમિતિ દ્વારા મળેલ અભિપ્રાયને ધ્યાને લઇ વિશેષ પ્રોત્સાહક પુરષ્કાર આપવામાં આવશે.

 

સ્પર્ધાના નિયમો :

  1. ભાગ લેવા માટે સ્પર્ધકે ઓનલાઇન નોંધણી LTSONANI.com પર કરવાની રહેશે.
  2. પુસ્તક વેબસાઈટ પરથીવિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાશે. તેમજ પ્રજ્ઞાચક્ષુ સ્પર્ધકો માટે પુસ્તકની ઓડિયો પ્રત પણ વેબસાઈટપર મૂકવામાં આવેલ છે. અથવા સ્પર્ધક ઇચ્છે તો પુસ્તક તેના પ્રાપ્તિસ્થાન રાષ્ટ્રીય અંધજન મંડળ-ભાવનગરજિલ્લાશાખાનો (ફોન નં.0278-2423917)સંપર્ક કરી યોગ્યમૂલ્ય આપીને પ્રાપ્ત કરી શકશે.
  3. ‘જીવનનોધબકાર-મારી સ્મરણયાત્રા’પુસ્તક આધારિત વર્ણવવામાંઆવેલ પ્રસંગોપર સ્પર્ધકે પોતાના વાંચન મુજબ મૌલિકવિચારોલેખિતમાં પ્રથમ તબક્કા માટે રજિસ્ટ્રેશન ફોર્મમાં દર્શાવેલ નિયમોમુજબ મોકલવાના રહેશે.
  4. અન્ય સંદર્ભ સાહિત્ય માત્ર ઉદાહરણ માટે ઉલ્લેખી શકાશે પરંતુ તેનું વિવરણ કરી શકાશે નહીં.
  5. પ્રજ્ઞાચક્ષુ સ્પર્ધકો પોતાના વિચારો કૉમ્પ્યૂટર ટાઈપીંગમાંઅથવા બ્રેઈલલિપિમા પણ મોકલી શકશે.
  6. દરેક વિભાગમાં ભાગ લેતા સ્પર્ધકે તેના વિભાગ માટે આપવામાં આવેલી સૂચનાઓ મુજબઉત્તર આપવાના રહેશે.
  7. ભાગલેવા ઇચ્છતા સ્પર્ધકે વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે અને જે-તે વિભાગમાં પુછાયેલ પ્રશ્નોત્તરી મુજબ પોતાના મૌલિક પ્રતિભાવો લેખિતમાં નિયમ મુજબ 31.01.2019 સુધીમા મોકલી આપવાના રહેશે

***********